
અમદાવાદ ખાતે પક્ષીઓને બચાવવા વિદ્યાર્થીઓએ પતંગ ન ઉડાડવાનો લીધો સંકલ્પ.
GNA AHMEDABAD-SANJIV RAJPUT
જીએનએ અમદાવાદ: ઉત્તરાયણ નિમિતે પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા પતંગ નહીં ઉડાડવાનો સંકલ્પ અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવ્યો હતો.

અમદાવાદ ના હાટકેસવર- ભાઈપુરા વોર્ડના ધી મધર ઈંગ્લીશ સ્કુલ, અર્ચના વિધાલય, ઉદગમ વિધાલયના ધોરણ 10 અને 12 ના વિધાઁથીઓ પક્ષીઓના બચાવ કાજે પતંગ ના ચગાવવા નો સંકલ્પ લીધો હતો.

કોરોના ના નિયમો ના પાલન માટે તેમજ મકરસંક્રાંતિ પવઁ મા શહેર પોલિસ કમિશ્ર્નર ના જાહેરનામા ના અમલ માટે નગરજનો ને કરી અપીલ તેમજ સુચક બેનરો સાથે ઉતરાયણ પવઁ મા પક્ષી ઓના બચાવ અભિયાન મા જોડાયા.

આ પસંગે ખોખરા પોલિસ ઈન્સપેકટર શ્રી કે એસ ચૌધરી સહિત પોલિસ જવાનો ઓ એ હાજર રહ્યી ને વિધાઁથીઓને માહિતગાર કરી ને શહેર પોલિસ ના જાહેરનામા ના અમલ સાથે પરિજનો અને આસપાસ ના મિત્રવતુઁળમા ઉતરાયણ પર્વ સાવચેતી સાથે નિયમો ના પાલન થકી ઉજવવા પોલિસ ઈન્સપેકટરશ્રીએ વિદ્યાર્થીઓને સંકલ્પબદ્ધ કરાવ્યા હતા
More Stories
અરવલ્લીઃડેમાઈ ગામે રોજગાર છીનવાઈ જવાના મુદ્દે લારીગલ્લા ધારકોએ બાયડ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું.
બનાસકાંઠા જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે જિલ્લાકક્ષાનો આંતરિક બદલી કેમ્પ યોજાયો.
સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિએ જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન